Thursday, 25 January 2018

રાષ્ટ્રીય મતદાતા દિવસ

રાષ્ટ્રીય મતદાતા દિવસ 
શરૂઆત : ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી.. .

વિશ્વભર માં પોતાના યુવાધન માટે ઓળખાતા ભારત દેશ માં ભારત સરકાર દ્વારા વધુને વધુ યુવા મતદારોને મતદાન વિષયે જાગૃત તેમજ પ્રોત્સાહિત કરવા અને મતદાનની રાજકીય પ્રણાલીમાં જોડવાના ઉદ્દેશથી દર વર્ષના ૨૫ જાન્યુઆરીનાદિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ (National Voters' Day) તરીકે મનાવવામાં આવે છે. 

આ ઉજવણીની શરૂઆત ૨૫ જાન્યુઆરી, ૨૦૧૧થી કરવામાં આવી છે. તારીખ ૨૫ જાન્યુઆરી ભારતના ચૂંટણી પંચનો સ્થાપના દિવસ હોવાથી 25 જાન્યુઆરી  રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે. આજના દિવસે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો, શેરી નાટકો, રેલીઓ કરી લોકો સુધી મતદાન વિષયક માહિતી પહોંચડી મતદાન કરવા પ્રેરવામાં આવે છે.
આજે 25 જાન્યુઆરી 2018 ના રોજ 8મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાશે. ✍

Courtesy : wikipedia




No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...