Thursday, 8 March 2018

અમેરિગો વેશ્યુચી

( જન્મ : 9 માર્ચ, 1454 - મૃત્યુ : 22 ફેબ્રુઆરી, 1512 )
અમેરિગો વેશ્યુચી
અમેરિકા ખંડ પર પહેલો પહોંચનારો ક્રિસ્ટોફર કોલંબસ હતો. પરંતુ પોતે શોધેલો પ્રદેશ અમેરિકા છે તે જગત ને જાણ થાય તે પહેલાં તેનું અવસાન થયું હતું. અમેરિકા નામાભિધાન કરવાનું શ્રેય ઇટાલિયન નાવિક અને ભૂગોળવિદ અમેરિગો વેશ્યુચીને ફાળે જાય છે. આજે અમેરિગો વેશ્યુચીનો જન્મદિવસ છે. ઇટાલીના ફ્લોરેન્સમાં જન્મેલા અમેરિગોને જ્યોતિષ અને ભૂગોળવિદ્યા માં ગજબ ની રુચિ હતી. યુવાવસ્થા માં તો તેઓ કુશળ નક્શાશાસ્ત્રી બની ચુક્યા હતા. ઇસ 1493 માં જાનતા વેરાડી નામની વેપારી પેઢીના પરિચયમાં આવ્યો અને કોલંબસની બીજી સમુદ્રયાત્રામાં સાહિયોગી બન્યા.
વેશ્યુચીએ ઇસ. 1497 થી 1505 દરમિયાન થયેલી સમુદ્રયાત્રાઓમાં એશિયા મહાદ્વીપ, શ્રીલંકા અને હિંદ મહાસાગરમાં પહોંચવા માટે દરિયાઈ મુસાફરીઓ કરી. ફ્લશ્રુતિરૂપે 1508 સુધીમાં સ્પેનના પ્રમુખ નાવિક બની વૈજ્ઞાનિક ધોરણે વિશ્વને શોધવાની કવાયત આદરી તેણે જ શોધી કાઢ્યું હતું કે બ્રાઝીલ અને વેસ્ટ ઇન્ડિઝ પૂર્વ એશિયાના ભાગ નથી. 10 જૂન 1503ના રોજ પોર્ટુગલના નેજા નીચે સમુદ્રયાત્રા આરંભી. ઇસ. 1507માં સાબિત કર્યું કે કોલંબસે શોધેલી નવી દુનિયા એશિયા નહીં પણ અમેરિકા છે. અમેરિગો વેશ્યુચીનું 22 ફેબ્રુઆરી 1512 ના રોજ સ્પેનમાં મેલેરિયાથી આવસન થયું.

Image : Google
Courtesy : Saurashtra Samachar - Dt. 09 March, 2018
Link :  http://epaper.divyabhaskar.co.in/bhavnagar/71/DATEHERE/0/1/

Follow Us Keep Supporting, Keep Sharing. 
 
Facebook Page : facebook.com/din.vishesh59/
Admin : facebook.com/jaydipmunjapra
Twitter : twitter.com/JMunjapra
Follow us on Instagram : instagram.com/din.vishesh59/
Admin : instagram.com/jaydipmunjapra
Google+ : plus.google.com/u/0/+JaydipMunjapra59

#like | #Comment | #Share | #Review

No comments:

Post a Comment

ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ

( જન્મ : ૧૨ ઓગષ્ટ   ૧૯૧૯ – મ્રુત્યુ :   ૩૦ ડિસેમ્બર   ૧૯૭૧) ડૉ. વિક્રમ અંબાલાલ સારાભાઈ   ભારતનાં અગ્રગણ્ય વૈજ્ઞાનિકોમાંના એક છે. ...